Type Here to Get Search Results !

મહિલાઓને લઘુ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવે છે વ્યાજ રહિત રુપિયા 3,00,000/- ની લોન, શું છે આ યોજના જાણો વધુ માહિતી

 

સરકાર મહિલાઓના વિકાસ તેમજ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે અનેક કાર્યક્રમો તથા યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થઇને મહિલાઓના આત્મનિર્ભરતા માટે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર કાર્યક્રમ થકી મહિલાઓને  નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. 



કેન્દ્ર સરકારા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉદ્યોગીની યોજના જે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે  આ યોજના લાવવામાં આવેલ છેજેમા મહિલાઓને રુપિયા 3,00,000/- સુધીની વ્યવસાય માટે લોન આપવામાં આવે છેજેમા 88 પ્રકારના નાના મોટા વ્યવસાય શરૂ કરવા મહિલા માટે મહિલા ને લોન આપવામા આવે છે. 

 


આ યોજના સૌ પ્રથમ કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ હતી ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા મહિલા વિકાસ નિગમ અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.



નોકરી કરતી મહિલાઓને ઉદ્યમી અને વ્યવસાયીના રૂપમાં વિકસિત કરવા અને તેમને પગભર થવા માટે  આ યોજના શરૂ કરવામાં આવેલી છે.


મુખ્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાને વધુ પ્રાથમિકતા અપાય છે.

 

આ યોજનાનો અત્યાર સુધી લગભગ 48 હજાર જેટલી મહિલાઓને લાભ થયો છે અને લઘુઉદ્યમી તરીકે આગળ વધી રહી છે.


આ યોજના અંતર્ગત મેળવેલ લોન પર કેટલી છૂટ મળે છે?

આ યોજનામાં પરિવારની વાર્ષિક આવકના આધારે 30 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે.

આ યોજનામા 18થી 55 વય ધરાવતી તમામ મહિલાઓ લૉન મેળવવાને પાત્ર છે.

 

આ યોજના માટે અરજી કરનાર મહિલાઓએ તેમનો ક્રૅડિટ સ્કોર મજબૂત છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

 

જો ભૂતકાળમાં કોઈ લૉન લીધી હોય અને તેની યોગ્ય રીતે ચુકવણી કરવામાં ન આવી હોય તો તેમને કોઈ લૉન આપવામાં આવશે નહીં.

 

સિબિલ સ્કોર સારો છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.



કયા દસ્તાવેજ જરૂરી?

અરજીપત્ર

આધાર કાર્ડ અને જન્મનો દાખલો

ગરીબી રેખાથી નીચેના લોકોએ રેશનકાર્ડની નકલ

જાતિનું પ્રમાણપત્ર

બૅન્કખાતાની પાસબુક

આવકનો દાખલો

રહેઠાણનો પુરાવો

પાસપોર્ટ સાઇઝના બે ફોટો

 

 

આ યોજના વિશે વધુ જાણવા તેમજ લોન મેળવવા માટે સંપર્ક કરો

આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે મહિલાઓએ તેમના વિસ્તારમા આવેલ બેંકનો સંપર્ક કરવાનો રહેશે.


બજાજ ફાઇનાન્સ જેવી ખાનગી નાણાકીય સંસ્થા પણ આ યોજનામાં લોન આપી શકે છે.

આ લોન વિશેની વધુ માહિતી માટે ઉદ્યોગીની,  ડી-17બેઝમેન્ટસાકેતનવી દિલ્હી -110017

ફોન નંબર- 011-45781125ઈમેલ- mail@udyogini.org પર સંપર્ક કરવો જોઈએ.

Post a Comment

0 Comments

Ads Area