PM નરેન્દ્ર
મોદીએ 13 ફેબ્રુઆરીએ PM સૂર્ય
ઘર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીને 300 યુનિટ
મફત વીજળી આપવામાં આવશે અને તમારા ઘરોની છત પર સોલર પેનલ લગાવવા વાળાઓને સબસીડીનો લાભ પણ આપવામાં
આવશે
શું તમારે 300 યુનિટ વીજળી મફત જોઈએ છે? તો આ યોજનાનો લાભ લેવા માટે શું કરવુ અને અરજી કોને અને કેવી રીતે કરવી જાણો વધુ માહિતી
આ યોજના હેઠળ સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેથી શહેરોથી ગામડાઓ સુધી ના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળીના બિલમાં મોટી બચત થશે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ મેળવવા માગો છો, તો ચાલો તમને જણાવીએ કે તમારે તેના માટે કેવી રીતે અરજી કરવી.
કેન્દ્ર સરકારે લોકોને મફત વીજળી આપવા માટે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ યોજનાનું નામ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. PM સૂર્ય ઘર યોજના હેઠળ, લોકોએ વીજળી માટે તેમના ઘરની છત પર સોલર પેનલ લગાવવી પડશે. આ સ્કીમને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના માટે સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનું રોકાણ કરશે...
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેથી શહેરોથી ગામડાઓ સુધીના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળીના બિલમાં મોટી બચત થશે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ મેળવવા માગો છો, તો ચાલો તમને જણાવીએ કે તમારે તેના માટે કેવી રીતે અરજી કરવી.
આ યોજનાનો લાભ લેવા
માટે અરજી કેવી રીતે કરવી ?..
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ લેવા માટે
ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ જુઓ
- સૌથી પહેલા તમારે રાષ્ટ્રીય પોર્ટલ www.pmsuryagarh.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- આ કામ રાજ્ય અને વીજળી વિતરણ કંપનીને પસંદ કરીને કરવાનું રહેશે.
- તમારો વીજ ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન થયા બાદ વ્યક્તિ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબરથી લોગીન કરી શકે છે.
- ગ્રાહક પોર્ટલ પર ફોર્મ ભરીને રૂફટોપ સોલર માટે અરજી કરી શકે છે.
- ત્યારબાદ તમારે સ્થાનિક ડિસ્કોમની મંજૂરીની રાહ જોવી પડશે. સરકારે કહ્યું કે એકવાર મંજૂરી મળ્યા બાદ તેના ડિસ્કોમમાં કોઈપણ રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો રહેશે.
આ યોજના માટે સબસિડી કેવી રીતે મેળવવી...
પેનલમાં
સમાવિષ્ટ વિક્રેતાઓની યાદી પોર્ટલ પર છે. રાષ્ટ્રીય પોર્ટલ યોગ્ય સિસ્ટમ સાઈઝ,
લાભ કેલ્ક્યુલેટર, વિક્રેતા રેટિંગ વગેરે જેવી મહત્વપૂર્ણ
માહિતી પ્રદાન કરવામાં મદદ કરશે. ઈન્સ્ટોલેશન બાદ ગ્રાહકે પ્લાન્ટની વિગતો જમા
કરાવવાની રહેશે અને નેટ મીટર માટે અરજી કરવી પડશે.
- નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા પછી, તમને પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે.
- આ પ્રમાણપત્ર જારી કર્યા પછી, તમારે પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરવો પડશે અને સબસિડી તમારા બેંક ખાતામાં જમા થશે. રોકાણ અને સબસિડીની ગણતરી
- જો તમે તમારા ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો વેબસાઈટ પર ઉપલબ્ધ કેલ્ક્યુલેટર મુજબ, પ્રોજેક્ટની કુલ કિંમત 47000 રૂપિયા હશે. જેના પર સરકાર તરફથી 18000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29000 રૂપિયા ચૂકવવા પડશે. નિયમો અનુસાર આ માટે 130 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. 47,000 રૂપિયાના ખર્ચે બનેલ સોલાર પ્લાન્ટ દરરોજ 4.32 Kwh/દિવસ વીજળી ઉત્પન્ન કરશે, જે વાર્ષિક 1576 kWh/વર્ષે આવે છે. આ સાથે ગ્રાહકને રોજના 12.96 રૂપિયા અને વર્ષમાં 4730 રૂપિયાની બચત થશે.