Type Here to Get Search Results !

પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃધ્ધિ યોજના જેમ વ્યાજમાંથી જ મળશે રૂપિયા 49 લાખ, મેચ્યોરિટી પર કુલ રૂપિયા 72 લાખનો સુધીની ફાયદો


Join WhatsApp Group




  • યોજનાનું નામ: સુકન્યા સમૃધ્ધિ યોજના
  • લાભાર્થી: જન્મથી 21 વર્ષ સુધીની દીકરીઓ
  • યોજનાનો પ્રકાર: કેન્દ્રીય યોજના
  • સંસ્થા: પોસ્ટ ઓફિસ ખાતે ફોર્મ ભરી શકાશે
  • રોકાણનો દર: 8.2% સુધી
  • આર્થિક રોકાણ: રૂપિયા 2500 થી 1.5 લાખ સુધી

 


ટૂંકી માહિતી: સુકન્યા સમૃધ્ધિ યોજનાએ કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરીને આ યોજના બહાર પાડવામાં આવેલ છે. દીકરીઓના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે સુરક્ષિત અને નફાકારક રોકાણ માટે શ્રેષ્ઠ યોજના છે જે પોસ્ટ ઓફિસ ખાતેથી નાની બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ફોર્મ ભરવામાં આવે છે અને આ યોજનામાં જોખમ નહિવત્ પ્રમાણમાં છે, જો તમારા ઘરમાં દીકરી હોય તો ભૂલ કર્યા વગર આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. કારણ કે આ યોજનામાં 8.2% વાર્ષિક વ્યાજ મળવા પાત્ર છે.

વધુ વિગતવારની માહિતી માટે નીચે આપેલ તમામ માહિતી શાંતિથી વાંચો.



સુકન્યા સમૃધ્ધિ યોજના: દીકરીઓના ભવિષ્ય કલ્યાણ બાબતે સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી યોજનામાં રોકાણનું જોખમ નહિવત છે, જ્યારે વળતર શેરબજારને ટક્કર આપે તેવું છે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2% નું વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો તમે આયોજનબદ્ધ રીતે રોકાણ કરો છો, તો તમે માત્ર વ્યાજ પેટે જ રૂપિયા 49 લાખ કમાઈ શકો છો અને પાકતી મુદતે (Maturity) તમારા હાથમાં કુલ રૂપિયા 72 લાખ જેવી માતબર રકમ આવી શકે છે.



  



સૌથી વધુ વ્યાજ આપતી સરકારી યોજના એટલે સુકન્યા સમૃધ્ધિ યોજના

  • પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં 'સુકન્યા સમૃદ્ધિ યોજના' સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષક છે. તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે આ યોજના પર 8.2% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે, જે અન્ય યોજનાઓ કરતા ઘણો વધારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ઉલ્લેખ કર્યો હતો કે દેશમાં SSY ખાતાઓની સંખ્યા 4 કરોડને પાર કરી ગઈ છે અને તેમાં રૂપિયા 3.25 લાખ કરોડ થી વધુની રકમ જમા થઈ ચૂકી છે, જે લોકોનો આ યોજના પરનો વિશ્વાસ દર્શાવે છે.

 

 


સુકન્યા સમૃધ્ધિ યોજનામાં રોકાણની અમુક મર્યાદા અને તેના નિયમો

  • આ યોજનાની અગત્યની લાક્ષણિકતા એ છે કે તે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે પોસાય તેવી છે.
  • આ યોજનામાં ખાતું માત્ર 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે જ ખોલાવી શકાય છે
  • જેમાં વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 250 થી રોકાણ કરી ખાતું ખોલાવી શકો છો અને વધુમાં વધુ રૂપિયા 1.50 લાખ જમા કરી શકો છો.
  • સગવડ: તમે ઈચ્છો તો આ રકમ એકસાથે અથવા માસિક હપ્તા (જેમ કે દર મહિને રૂપિયા 12,500 સ્વરૂપે પણ જમા કરાવી શકો છો.
  • આ યોજનામાં પૈસા 15 વર્ષ સુધી જમા કરાવવાના હોય છે, પરંતુ ખાતું 21 વર્ષે પરિપક્વ થાય છે.

 



Join WhatsApp

Click Here

Join Telegram

Click Here

Follow Channel for Latest Update

Click Here



આ યોજનાનું ગાણિતિક કેલ્ક્યુલેશન સમજીએ

આ યોજનામાં અંદાજિત રૂપિયા 72 લાખ મેળવવાનું ગણિત સમજીએ

જો કોઈ વાલી પોતાની દીકરીના જન્મ સમયે જ આ ખાતું ખોલાવે અને સમય મર્યાદા જાળવી રાખે, તો રિટર્નનું ગણિત કંઈક આવું હોઈ શકે છે:

  • વાર્ષિક રોકાણ: રૂપિયા 1,50,000
  • રોકાણનો સમયગાળો: 15 વર્ષ
  • તમારું કુલ રોકાણ: રૂપિયા 22,50,000
  • વ્યાજ દર: 8.2% (અંદાજિત)
  • વ્યાજની આવક: રૂપિયા 49,32,119
  • મેચ્યોરિટી પર કુલ રકમ: રૂપિયા 71,82,119

આમ, તમે જમા કરેલી રકમ કરતા બમણાથી પણ વધુ રકમ માત્ર વ્યાજ સ્વરૂપે મળી શકે છે.


  

આ યોજનામાં ટેક્સમાં પણ મોટી રાહત મળે છે. 

આ યોજના માત્ર વળતર જ નથી આપતી, પણ ટેક્સ પણ બચાવે છે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80C હેઠળ, વાર્ષિક રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે (જૂની ટેક્સ વ્યવસ્થા મુજબ). સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાંથી મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત (Tax-Free) હોય છે.

 


નોંધ:- આ યોજનામાં ફોર્મ ફક્ત પોસ્ટ ઓફિસમાં જ ભરી શકાશે.



Join WhatsApp Group: Click Here

Follow our Channel for Latest Update: Click Here

 

Best Useful Android Apps by Google:

  • Read Along by Google Android App: Click


Post a Comment

0 Comments

Ads Area