Type Here to Get Search Results !

ગુજરાત / લોકરક્ષક ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, જાણો શું છે નવા નિયમો

#LRD નાં નવા નિયમો જાહેર. ફિઝિકલ પરિક્ષા માંથી માર્ક સિસ્ટમ દૂર કરવામાં આવી. શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ, તેમા ઉત્તીર્ણ થયેલા તમામ OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો જાહેર

Ø  લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંકયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેકટિવ એમ.સી.કયુ. ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

 

Ø  ગુજરાત લોકરક્ષક ભરતી 2024 માં હવેથી દોડ એ માત્ર પાસ થવા માટે જ રહેશે તેના માર્કસ આગળ ગણવામાં આવશે નહીં અને પહેલા જે 100 માર્કસની MCQ ટેસ્ટ પેપર આવતું હતું તે હવેથી 200 માર્કસનું પેપર લેવાશે.

Ø  પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

Ø  રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

Ø  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ રહેશે નહીં.

Ø  વજનને ધ્યાને લેવામાં નહીં આવે

Ø  પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યું છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેકટિવ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

Ø  અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેકટિવ ટાઈપ એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-1 અને ભાગ-2 એમ બે ભાગમાં લેવામાં આવશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

 

જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડેન્સ એક્ટ જેવા વિષયો રદ્દ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે.

Part-A

Reasoning And Data Interpretation

30 Marks

Quantitative Aptitude

30 Marks

Comprehension In Gujarati Language

20 Marks

Total

80 Marks

Part-B

The Constitution Of India

30 Marks

Current Affairs, Science & Technology, General Knowledge

40 Marks

History, Cultural Heritage and Geography Of Gujarat And Bharat

50 Marks

Total

120 Marks

Total Part A & B

200 Marks

Ø  આ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હશે તો મળશે વધારાના ગુણ

પહેલા લોકરક્ષક ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

NFSU અથવા RRU માં કરેલ કોર્સનો સમયગાળો

આપવાના થતાં વધારાના ગુણ

1 વર્ષ

03 ગુણ

2 વર્ષ

05 ગુણ

3 વર્ષ

08 ગુણ

4 વર્ષ કે તેથી વધુ

10 ગુણ

Ø  આખરી પસંદગી યાદી ઓબ્જેકટિવ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નો જોવા માટે અહીં ક્લિક કરો.


Post a Comment

0 Comments

Ads Area