Type Here to Get Search Results !

સરકારી કર્મચારીઓ માટે 8મુ પગાર પંચ અપડેટ:

8મુ પગાર પંચ અપડેટ: લોકસભા ચૂંટણી 2024 નજીકમાં આવી રહેલી છે જેથી તમામ સરકારી કર્મચારીઓ ચુંટણી પહેલા 8મા પગારપંચ ની આશા લઈને બેસી રહેલા છે તેમના માટે 8માં પગાર પંચને લઈને એક નવા સમાચાર બહાર આવ્યા છે. અત્યાર સુધી સરકાર દ્વારા 8માં પગારપંચ બાબતે કોઈપણ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી નથી તેવી માહિતી નાણાકીય વિભાગ દ્વારા મળી રહી છે. તથા એવું જાણવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેના કારણે નાણાકીય મંત્રાલય પર આઠમા પગાર પંચ ને ગઠિત કરવા અને અધીસુચિત કરવા માટે રાજકીય દબાવો આવી રહ્યો છે

 

આઠમા પગાર પંચને લાગુ કરવા માટેની યોજનાનો અત્યારે નાણાકીય સચિવ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે.  નાણામંત્રી ટી.વી.સોમનાથ એ એક રિપોર્ટમાં જણાવ્યું કે આઠમુ પગાર પંચ લાગુ કરવા સંબંધીત અત્યારે અમે કોઈ યોજના લાવી નથી.

 

8મુ પગાર પંચ અપડેટ: UPA સરકારે વર્ષ 2013 માં ચૂંટણીના કેટલાક મહિના પહેલા 7મુ પગાર પંચ લાગુ કર્યું હતું. લોકસભાની ચુંટણી નજીક આવી રહી હોય જેથી તમામ સરકારી કર્મચારીઓને આશાઓ બંધાણી છે કે 8મુ પગાર પંચ લોકસભા ચુંટણી પહેલા આવશે પરંતુ હજુ સુધી એવુ કોઇ પણ નિવેદન કે જાહેરાત સરકાર કે મંત્રીઓ તથા સચિવો દ્વારા આપવામાં આવી નથી જેથી 8મા પગાર પંચને લઇને અટકળો સાચી પડે.

 

8મુ પગાર પંચ અપડેટ: નાણાકીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરી એ સંસદમાં કહ્યું હતું કે અત્યારે 8મા પગારપંચ લાગુ કરવા વિશે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ મૂકવા માટે સરકાર વિચારધારા રાખતી નથી. તેઓ લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું અત્યારે સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8માં કેન્દ્રીય પગાર પંચ માટે પ્રસ્તાવ માટે કોઈ વિચાર છે ? જેને આગળ જતા એક જાન્યુઆરી 2026 ના દિવસે લાગુ કરી શકાય. જે પ્રશ્નના જવાબરૂપે માહિતી આપી હતી કે અત્યારે 8મું પગાર પંચ લાગુ થશે નહીં

 

આંકડામાં જણાવ્યા મુજબ કેન્દ્રીય અધિકારીઓ અને પેન્શન ધારકોની સંખ્યા કુલ 50 લાખથી વધારે છે. તેમજ અત્યાર સુધી 8માં પગાર પાંચ વિશે કોઈ નક્કી કરવામાં આવેલી અને ચૂંટણી પહેલા તમામ સરકાર સશસ્ત્ર દળ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાલચ આપવા માટે વેતન આયોગ નો ઉપયોગ કરે છે.

 

 

કર્મચારીઓના પગારની સમીક્ષા કેવી રીતે થશે?

નાણા રાજકીય મંત્રી એ પહેલા જણાવ્યું છે કે સાતમા પગાર પંચ મુજબ કેન્દ્રીય અધિકારીઓ અને પેશન ધારકો ને આપવામાં આવેલ પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા માટે એક વધારે પગાર પંચ લાગુ કરવા માટેની અત્યારે કોઈ જરૂરિયાત નથી. પરંતુ તે મેટ્રિક્સ ની સમીક્ષા અને સંશોધન માટે નવી વ્યવસ્થા ઉપર કાર્ય થવું જોઈએ. તેમણે કહ્યું કે અત્યારે સરકાર એવી વ્યવસ્થા પર કાર્ય કરી રહી છે જેના કારણે કેન્દ્રીય અધિકારીઓના પગાર તેમના પ્રદર્શન આધારે વધારવામાં આવશે. તેમણે જણાવ્યું કે Aykroyd ફોર્મ્યુલા મુજબ અત્યારે ભથ્થા અને પગારની સમીક્ષા કરી શકાય છે.

આ પણ વાંચો: SDAU Agricultural Officer Recruitment - 56 Posts Apply Online & more Details

અત્યારે કેન્દ્રીય અધિકારીઓના નવા મોંઘવારી ભથ્થા નક્કી કરવામાં આવેલ છે પરંતુ માર્ચ મહિના સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે. જેથી તેની જાહેરાત થવામાં થોડો સમય લાગશે..

અત્યારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક વધારે ખુશીના સમાચાર બહાર આવ્યા છે અધિકારીઓના હાઉસ રેન્ડ અલાઉસ  ( HRA) માં પણ વધારો થાય તેવી સંભાવના છે. મોંઘવારી ભથ્થુ 50% નક્કી કરવામાં આવેલ છે અને હવે તેના પછી HRA નો વધારો કરવામાં આવશે. જેમાં 3 ટકાનો વધારો થાય છે તેવી શક્યતા છે.

 

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ ના જણાવ્યા મુજબ કેન્દ્રીય અધિકારીઓ માટે હાઉસમાં રિવિઝન એ મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવશે.

 

વર્તમાનમા HRA ની ગણતરી શહેરોની કેટેગરી મુજબ X, Y અને ક્લાસ શહેરો અનુક્રમે દર 27%, 18% અને 9 ટકા કરવામાં આવેલ છે.

 

તથા આ વધારો DA ની સાથે એક જુલાઈ 2021 થી લાગુ કરેલ છે. પરંતુ સરકાર દ્વારા વર્ષ 2016 માં એક મેમોરેડમ બહાર પાડવામાં આવેલ હતું. જેમાં જણાવ્યા મુજબ HRA ને DA Hike ની સાથે સમય સમય પર રિવાઇઝ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. તેના મુજબ વર્ષ 2020 માં મોંઘવારી ભથ્થામાં 25% ના વધારા સાથે HRA પણ રિવિઝન કરવામાં આવ્યું હતું. અને હવે મોંઘવારી ભથ્થામાં 50% વધારો થવા પર HRA માં પણ રિવિઝન થશે.

આ પણ વાંચો: High Court ofGujarat Recruitment for Attendant-cum-Cook Posts 2024

DA Hike પછી HRA મા થશે વધારો

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેને મંજૂરી મળશે. જેથી હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% થઈ જશે. જેને એક જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવશે.

જુલાઈ 2021 માં મોંઘવારી ભથ્થાના 25 % વધારા સાથે HRA મા 3 % નું રિવિઝન કરવામાં આવ્યું હતું. તે સમયમાં HRA ની અપાર લિમિટ વધારીને 24% થી 27% કરવામાં આવી હતી. અને હવે તે માત્ર ત્રણ ટકાનો વધારો થશે.

 

HRA ની ગણતરી કરવાનું એક ફોર્મ્યુલા છે.

વર્તમાન સમયમાં કેન્દ્રીય અધિકારીઓના તેઓ જે શહેરમાં રહેતા હોય તેની કેટેગરી મુજબ હાઉસ રેન્ટ આપવામાં આવે છે. સરકાર દ્વારા શહેરોને X, Y અને Z કેટેગરી એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. સરકાર X કેટેગરીમાં 27%, Y કેટેગરીમાં 18% અને Z કેટેગરીમાં 9 ટકા હાઉસ એન્ડ આપે છે. અને હાઉસ રેન્ટ અલાઉસ જે તે કેન્દ્રીય કર્મચારીઓના સામાન્ય પગારના આધારે નક્કી કરવામાં આવે છે.

 

શહેરોને X, Y અને Z  એમ ત્રણ કેટેગરીમા વિભાજીત કરવામા આવેલ છે. અને તે ત્રણ કેટેગરી મુજબ શહેર જે કેટેગરીમા આવતુ હોય તે મુજબ હશે HRA:

X કેટેગરીના શહેરો

જે કેન્દ્રીય કર્મચારીઓ અમદાવાદ મુંબઈ બેંગલોર દિલ્હી પુણે ચેન્નઈ અને કોલકાતા વગેરે X કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. અને તે કેન્દ્રીય કર્મચારીઓને તેમના સામાન્ય પગારના 27% HRA મળે છે


Y કેટેગરીના શહેરો

સહારન પુર, લખનઉ, પટના, વિશાખાપટ્ટનમ, વિજયવાળા,ગોવાહાટી, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાવ, રાંચી, જમ્મુ,શ્રીનગર, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, જબલપુર, ઉજ્જૈન, નાગપુર, ઔરંગાબાદ, સોલાપુર, નાસિક, અમરાવતી,ભવનેશ્વર, અમૃતસર, ઝાંસી, ગોરખપુર, કાનપુર, આગરા, બિકાનેર વગેરે શહેરોની Y કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. અને શહેરોમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓને સામાન્ય પગારના 18% HRA આપવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat Subordinate Service Selection Board (GSSSB) Recruitment 2024 - Apply Online for 266 Posts

Z કેટેગરીના શહેરો

કેટેગરીમાં એવા શહેરો આવે છે જે X અને Y કેટેગરી થી અલગ શહેરો છે. મે જે કેન્દ્રીય કર્મચારીઓ શહેરોમાં વસે છે તેમને સામાન્ય પગારના 9 ટકા HRA આપવામાં આવે છે.

 

Tags

Post a Comment

0 Comments

Ads Area